Website Will be going Under Maintenance
Dr. Ambedkar Safai Kamdar Awas Yojana
યોજનાનો હેતુ
  • • સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે.
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની રહેશે.
  • ડૉ.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • આ યોજના હેઠળ આવક મર્યાદા ઘ્યાનમાં લેવાની રહેતી નથી
  • ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બનેલ મકાન પર લાભાર્થીએ " રાજ્ય સરકારની ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના" એ મુજબની તકતી બનાવી લગાડવાની રહેશે.
  • અરજદારે રજૂ કરેલા આશ્રિત માટેની વ્યાખ્યાના કારણો અંગે કોઇ મુદ્દો ઉપસ્થિત થાય તો તેનો મંજુરી/ નામંજુરીનો આખરી નિર્ણય નિગમ કક્ષાએથી લેવામાં આવશે.
  • અરજદારે પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે, તેમજ તે જ પ્રમાણે અરજીમાં જે સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો નમૂનો અધિકૃત ગણાશે.
  • અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે-નકલો અરજદારે જીલ્લા કચેરીએ જમાં કરાવવાની રહેશે.
  • ર્ડા. આંબેડકર આવાસ યોજના, ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના કે સરકારશ્રીની અન્ય કોઇ આવાસ સહાયની યોજનાઓ હેઠળ લાભાર્થી કે લાભાર્થીનાં પતિ-પત્નીએ અગાઉ આવાસ સહાયનો લાભ લીધેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
  • આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું અથવા કાચુ મકાન ઘરાવતા હોયતો તેનાઆધાર જેવા કે દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
  • અન્ય જગ્યાએ થી આવાસ માટે સહાય મળેલ નથી તેઅંગેનું પ્રમાણપત્ર